ગુજરાતમાં સૌથી વધુ પોલીસકર્મીઓ લાંચ લેતા પકડાયા,દર 6 દિવસે એક કર્મી લાંચ લેતા પકડાય છે

ગુજરાતમાં સૌથી વધુ પોલીસકર્મીઓ લાંચ લેતા પકડાયા,દર 6 દિવસે એક કર્મી લાંચ લેતા પકડાય છે,ACB દ્વારા અલગ અલગ રીતે છટકા ગોઠવીને લાંચિયા કર્મચારીઓને પકડવામાં આવે છે જેમાં છેલ્લા સવા બે વર્ષમાં સૌથી વધુ પોલીસ કર્મીઓ પકડાયા છે.ત્યારબાદ પંચાયત,મહેસૂલ,કૃષિ સહિતના વિભાગના કર્મીઓ લાંચ લેતા પકડાયા.


તાજેતરમાં આવેલ અહેવાલ મુજબ ગુજરાત સરકારના 26 અને કેન્દ્ર સરકારનો 1 વિભાગ મળીને 27 વિભાગોમાંથી સૌથી વધુ ભ્રષ્ટ ગૃહ ખાતું છે. છેલ્લા સવા 2 વર્ષમાં એસીબીએ 415 સરકારી બાબુઓને રૂ.2.89 કરોડની લાંચ લેતા પકડયા હતા. જેમાં સૌથી વધારે 135 પોલીસ કર્મચારી રૂ.98 લાખની લાંચ લેતા પકડયા હતા. આ આંકડા પરથી દર 6 દિવસે એક પોલીસ કર્મચારી લાંચ લેતા પકડાઈ રહ્યો હોવાનું સાબિત થઈ રહ્યું છે. લાંચિયા બાબુઓમાં જ નહીં પરંતુ લોકો પાસેથી સૌથી વધારે પૈસા પડાવવામાં પણ પોલીસ ખાતુ જ મોખરે રહ્યુ છે. પોલીસ પછીના અન્ય ટોપ 6 ભ્રષ્ટાચારી સરકારી વિભાગોમાં પંચાયત, મહેસૂલ, કૃષિ સહિતના વિભાગોનો સમાવેશ થાય છે.

મોટાભાગે પોલીસકર્મીઓ લાંચ માંગતા પકડાયા

એસીબીની ટીમોએ 2023 ના વર્ષમાં 183 સરકારી કર્મચારીઓને લોકો પાસેથી કુલ 1.11 કરોડની લાંચ લેતા પકડયા હતા. જ્યારે 2024ના માં કુલ 186 લાંચિયા કર્મચારીઓ પકડાયા હતા. જ્યારે 31 માર્ચ 2025 સુધીમાં જુદા જુદા વિભાગના 47 ભ્રષ્ટ સરકારી બાબુઓ રૂ.35 લાખની લાંચ લેતા એસીબીના હાથે પકડાયા હતા. સરકારના 27 વિભાગોમાંથી વધુ ભ્રષ્ટ પોલીસ ખાતુ જ છે અને સૌથી વધારે પૈસાની માંગણી પણ પોલીસ જ લોકો પાસે કરતી હોવાનું આ આંકડા પરથી ફલિત થાય છે.

એસીબીએ લગભગ 10 વર્ષ પહેલા ટોલ ફ્રી નંબર (1064) ગુજરાતના છેવાડાના ગામના લોકો સુધી પહોંચી રહ્યો છે. જેના કારણે એસીબીને સૌથી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો આ ટોલ ફ્રી નંબર ઉપર જ મળી રહી છે. તેમાં પણ છેલ્લા 3 – 4 વર્ષમાં તો આ નંબરના કારણે એસીબીની ટ્રેપનો દર પણ લગભગ 20 ટકા વધી ગયો હોવાનું એસીબીના અધિકારીઓનું કહેવું છે.આ સાથેજ એસીબી દ્વારા ફરિયાદ માટે વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

એસીબીના અધિકારીઓનું કહેવું છે જે કામ માટે લોકોને સરકારી વિભાગોમાં જવુ પડે છે. તે વિભાગોમાં જ સૌથી વધારે ભ્રષ્ટ તે માર્ગ મકાન આ વિભાગો એવા છે કે જ્યાં સામાન્ય માણસોને જુદા જુદા કામ માટે જવું પડે છે. જેથી આ વિભાગના બાબુઓ કામ માટે લોકો પાસે અને ફકત એન્ટ્રી ઓપરેટરો તરીકે પૈસા માંગતા હોવાથી તેઓ જ સૌથી વધારે એસીબીની ટ્રેપમાં ફસાય છે.જે વિભાગોમાં ઓનલાઈન કામો થાય છે ત્યાં ભ્રષ્ટાચારની શક્યતાઓ નહિવત છે.

હજુ પણ એસીબી દ્વારા સતત લોકોને ફરિયાદ આપવા માટે પ્રેરવામાં આવી રહ્યા છે જેથી કોઈ વ્યક્તિ જો લાંચ માંગે તો એ વ્યક્તિ સામે એસીબીમાં ફરિયાદ કરીને ભ્રષ્ટાચાર રોકવામાં મદદ કરી શકાય છે

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *