-ઉર્વિશા વાડોદરીયા
કવિ એટલે શું ? કવિ એટલે જેના પોતાના ખિસ્સામાં ભલે 20 રૂપિયા જ હોય પરંતુ પોતાના શબ્દો થકી બીજાને શ્રીમંતાઈનો અનુભવ કરાવી દે પોતાના શબ્દોથી ઉનાળામાં પણ ટાઢકથી તરબતોળ કરી નાખે તે કવિ. એક જ જીવનમાં અનેક જીવનની કથા વર્ણવે તે કવિ.

આવાજ નવોદિત કવિઓ માટે શનિવારે સાંજે ધ આર્ડ વિન્ડો ફાઉન્ડેશન, અમસ્તી વાતો તેમજ કલાસ્મૃતિ દ્વારા બેઠક-કાવ્યગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે કવિ કૃષ્ણ દવે અને ભાવેશ ભટ્ટ હાજર રહ્યા હતાં. આ કાર્યકમનું સંચાલન કૃપેશ બારોટ દ્નારા કરવામાં આવ્યું જેમાં 12 નવોદિત કવિઓ દ્નારા અલગ અલગ કવિતાઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. દરેકની પોતાની એક આગવી રજૂઆત હતી. કોઈએ પ્રેમની વાત કરી તો કોઈએ સંસ્કૃતિની વાત કરી, કોઈએ સુખદુઃખની વાત કરી તો કોઈએ છપાખરા કર્યા. અંતે સૌએ ઈશ્વરને યાદ કરી યાદ કરી સાંજની શણગારી હતી. આ કાવ્યગોષ્ઠીમાં આવેલ તમામ કલાકારે પોતાની કૃતિઓનું વર્ણન કર્યું કે જે જોઈને કહી શકાય કે કે કોલ્ડ પ્લેનના જમાનામાં આજે પણ લોકો ગુજરાતી સાહિત્ય સાંભળવામાં રસ ધરાવે છે. કાવ્યગોષ્ઠીમાં પ્રેક્ષકો અને યુવાનોના ઊત્સાહને જોઈને ખરેખર લાગે કે આ ABCD ના સમયમાં હજુ પણ કક્કો, બારાક્ષરીના રસિયા ઘણા છે.

Read Also: માધ્યમ વાતચીત : CWC મેમ્બર જગદીશ સોલંકી સાથે માધ્યમ પત્રકાર પ્રવીણ જોશીની ખાસ વાતચિત